


અંજાર નગરપાલિકા દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ તેમની પ્રતિમા સર્કલ દેવળીયા નાકા મધ્યે યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વક્તવ્ય આપતા પૂર્વ રાજ્યમંત્રી અને માનનીય ધારાસભ્ય શ્રી વાસણભાઈ જી. આહિરે તેમના જીવન વિશે પરિચય આપતા એક રાષ્ટ્રને સમર્પિત નેતા તરીકે વર્ણવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સર્વે એ હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહીર, અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન ડી પ્રજાપતિ, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ડેનીભાઇ શાહ, અંજાર તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કાનજીભાઈ જીવાભાઇ આહીર, કારોબારી સમિતિ ચેરમેન શ્રી વિજયભાઈ ડી પલણ, શાસકપક્ષના નેતા શ્રી સુરેશભાઈ ટાંક, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવા, કાઉન્સિલરો શ્રી કેશવજીભાઈ સોરઠીયા, ડાયાલાલભાઈ મઢવી, સુરેશભાઇ ઓઝા, અમરીશભાઈ કંદોઈ, શ્રીમતી કલ્પનાબેન ગોર, શહેર ભાજપ મહામંત્રી સર્વશ્રી દિગંતભાઈ ધોળકિયા અને શ્રી અશ્વિનભાઈ સોરઠીયા, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન શ્રી તેજસભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન ટાંક શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પંડ્યા, નગરપાલિકાના કચેરીના અધિક્ષક શ્રી ખીમજી પાલુભાઈ સિંધવ, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ના આચાર્ય શ્રી ડો. ખીમજીભાઈ એસ. સિંધવ, આશિષભાઈ ઉદવાણી, શ્રી ડી સી ઠક્કર, શ્રી હિતેનભાઈ વ્યાસ, શ્રી દીક્ષિતભાઈ મિરાણી, શ્રી ડાયાલાલભાઈ રાઠોડ, નરસિંહભાઈ પ્રજાપતિ, શ્રી હાર્દિકભાઈ પ્રજાપતિ, કુ. પૂજાબેન બારમેડા, નઝમાબેન બાયડ, મંજુલાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.