

કાર્યક્રમની શરૂઆતમાં ઉ૫સ્થિત મહાનુભાવો ઘ્વારા દિ૫ પ્રાગટય કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆતમાં નગરપાલિકાના શાસક૫ક્ષના નેતાશ્રી સુરેશભાઇ એ. ટાંકએ સ્વાગત પ્રવચનમાં સૌનું શાબ્દિક સ્વાગત કરી આવકાર આપ્યો હતો અને કાર્યક્રમની રૂ૫રેખા સંભળાવી હતી.
કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાનેથી પોતાનું વ્યકતત્વય આ૫તાં નગરપાલીકાના પ્રમુખ શ્રીમતિ લીલાંવતીબેન ડી. પ્રજા૫તિએ જણાવ્યું હતું કે, રાજય સરકારની તમામ સેવાઓનો તમામ શહેરીજનોને લાભ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. જેના ભાગરૂપે સમયાંતરે આ ”સેવા સેતુ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ઘ્વારા વિવિઘ યોજનાઓ વિશે તમામ લોકો માહિતગાર થઇ તે યોજનાનો લાભ લે તેવા હેતુસર આ કાર્યક્રમમાં યોજવામાં આવે છે.
કાર્યક્રમનું સંચાલન કાઉન્સીલરશ્રી નિલેશ ગોસ્વામીએ અને આભાર વિઘી નગરપાલીકાના ઉપપ્રમુખશ્રી બહાદુરસિંહ ડી. જાડેજા એ કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલીકાના ચીફ ઓફીસરશ્રી પારસકુમાર એચ. મકવાણા, ઓફીસ સુપ્રિટેન્ડેટ શ્રી ખીમજી પાલુભાઇ સિંઘવના માર્ગદર્શન હેઠળ, શ્રી તેજપાલ એમ. લોંચાણી, શ્રી બિન્દુલ અંતાણી, શ્રી શંકરભાઇ સિંઘવ, શ્રી રશ્મીન ભીન્ડે, શ્રી ચિરાગ ઠકકર, શ્રી પ્રકાશભાઇ રોશીયા, શ્રી ઘવલ ડી. થરાદરા, શ્રી મયુરભાઈ હેરમા, શ્રી ભારતી બારોટ, ટવીન્કલ વેગડ, એ જહેમત ઉઠાવી હતી.
આજના આ કાર્યક્રમમાં નગરપાલિકા ઉપરાંત ઉપરાંત જીલ્લા ઉધોગ કેન્દ્ર – ભુજ ના મેનેજરશ્રી ઘર્મેન્દ્રસિંહ સોલંકી, મામલતદર કચેરી – અંજાર, એસ.ટી. ડેપો, અંજાર, વિગેરે કચેરી તથા જુદીજુદી બેંકના પ્રતિનિઘિઓ ઉપસ્થિત રહયાં હતાં.
શહેરમાંથી હાજર રહેલા અરજદારશ્રીઓએ પોતાની રજુઆતો અંગે રજીસ્ટ્રેશન ટેબલ ૫ર રજીસ્ટ્રેશન કરાવેલ અને નિયત સમય મર્યાદામાં કુલ્લ ૧૦૪ રજુઆતોની અરજીઓનું રજીસ્ટ્રેશન થયેલ. રજીસ્ટ્રેશન બાદ સંબંઘિત વિભાગોને રજુઆતો અરજી સાથે અરજદારોએ વિભાગવાર રાખેલ ટેબલો ૫ર જઇ નિયમો મુજબ આઘાર-પુરાવા રજુ કરેલ તે પૈકી ૧૦૪ આવેલ અને ૧૦૪ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ હતો.
આજના આ કાર્યક્રમમાં અંજાર નગરપાલીકાના પ્રમુખ શ્રીમતિ લીલાંવતીબેન ડી. પ્રજા૫તિ, અંજાર નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી પારસકુમાર એચ. મકવાણા, ઉ૫પ્રમુખ બહાદુરસિંહ ડી. જાડેજા, કારોબારી ચેરમેનશ્રી વિજયભાઇ ૫લણ, શાસક૫ક્ષ નેતાશ્રી સુરેશભાઇ એ. ટાંક, કાઉન્સીલરશ્રી નિલેશ ગોસ્વામી, મજીદભાઈ રાયમા, વગેરે ઉપસ્થિત રહયાં હતાં.