







ગાંધીધામમાં આમ આદમી પાર્ટી ની જનસભા માં.અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત નો હુંકાર કર્યો હતો. તેમને આજની સભા માં ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત ના સાશન ને ઉખાડી ફેંકી ઈમાનદાર પક્ષ ની સરકાર બને તેવી વિનંતી કરી હતી, સભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુજરાત માં મફત વીજળી અને ઉત્તમ સરકારી શિક્ષણનો વાયદો આપ્યો હતો, આ સભામાં આપના ઈશુદનન ગઢવી જિલ્લામાં મોટી સરકારી હોસ્પિટલ બનાવાનો વાયદો આપ્યો હતો, આ પ્રસેંગે જિલ્લાભર માંથી મોટી સંખ્યા માં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ કચ્છ જિલ્લામાં ગાંધીધામ મુકામે આમ આદમી પાર્ટી ના કચ્છ જિલ્લા ના તમામ હોદેદારો દ્વારા મહાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા,
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહા સચિવ શ્રી ઈશુદાન ગઢવી સાહેબ તેમજ આમ આદમી પાર્ટીના મોનુરેટી વિગ ઉપાધ્યક્ષ કે. કે. અન્સારી સાહેબ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા,
આમ આદમી પાર્ટીના પદાધિકારી ની શુભેચ્છા મુલાકાત માટે ભારતીય મહિલા સુરક્ષા સંઘ ના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી કૌશિક જી રોશિયા તેમજ ભારતીય મહિલા સુરક્ષા સંઘ ના ગુજરાત રાજ્ય ના પ્રદેશ પ્રમુખ હિના ડી મહેશ્વરી દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી તેમજ આમ આદમી પાર્ટી મજબુત બને તે માટે ભારતીય મહિલા સુરક્ષા સંઘ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું સાથે ઉપસ્થિત મહેશભાઈ આર દાફડા, રમેશભાઈ જખરાભાઈ કુડેચા, વિનોદભાઈ ધુવા, પંકજ આર સંજોટ, અને ત્રોતિક એચ સીજુ હાજરી આપી હતી
આ મહાસભા આયોજન માં શુભેચ્છા મુલાકાત દ્વારા જે લોકોએ આમ આદમી પાર્ટી ને સમર્થન આપ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી કચ્છ જીલ્લા સમીતી ના ઉપાધ્યક્ષ શ્રી હિતેશ મકવાણા તેમજ જિલ્લા સચિવ બળદેવસિંહ પરમાર અને સમિતી ના તમામ કાર્યકર્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા,
આમ આદમી પાર્ટી ગુજરાત માં મજબૂત બને અને ભારત દેશના તમામ લોકોની સમસ્યા નું સમાધાન થાય તેમજ ભારત ના રાષ્ટ્ર ના નિર્માણ માટે કાળજી પુર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ ગુજરાત મા જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો બેરોજગારી તેમજ વંચિત સમુદાય ના લોકો ના હકક અને અધિકાર મળી રહે તે માટે ખુબ ગંભીરતા પૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આગળ ની રાજનીતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
( Kutch karmshil news M.9033427717 )