ભુજ કરછ : કચ્છ ના રાજ પરીવાર ના મોભી શ્રી હનવંતસિહ જી બાવા સાહેબ તથા કરછ યુવરાજ શ્રી પ્રતાપસિંહ જી સાહેબ તથા તેમના કુંવર સાહેબ શ્રી અનિરુદ્ધ સિંહ જી સાથે ભુજ જૂના દરબાર એટલે કે આયના મહેલ મા આવેલ અસલ જુની ટીલા મેડી ખાતે માતાજી નુ પુજન કરીને પત્રીપુજન ના ભાગ રુપે આ ચામર ઉપાડવાની વિધી રાજ પરીવાર દ્વારા કરવા મા આવી .

આજે તા. 1/10 /2022 શનિવાર આશો સુદ છઠ્ઠ ના સવારે શુભ મૂહૂર્ત નેક નામદાર કરછ રાજ પરીવાર ના મોભી શ્રી હનવંતસિહ જી બાવા સાહેબ તથા કરછ યુવરાજ શ્રી પ્રતાપસિંહ જી સાહેબ તથા તેમના કુંવર સાહેબ શ્રી અનિરુદ્ધ સિંહ જી સાથે ભુજ જૂના દરબાર એટલે કે આયના મહેલ મા આવેલ અસલ જુની ટીલા મેડી ખાતે માતાજી નુ પુજન કરીને પત્રીપુજન ના ભાગ રુપે આ ચામર ઉપાડવાની વિધી રાજ પરીવાર ના સભ્યો. ધમૅગુરશ્રી. બાહ્મણ દેવતાઓ. કરછ રાજ તિલાટ ગોર માતંગ ધરમસિંહ જગદે લાલણ તથા કરછ ની પ્રજા ની હાજરી મા સંપન્ન કરવામાં આવી.
કરછ ના અંતિમ રાજવી મહારાઑ શ્રી મદનસિંહજી બાવા સાહેબ ના હયાત વંશજ નેક નામદાર શ્રી હનવંતસિહ જી બાવા સાહેબ જે કરછ રાજગાધી ના સિધી લિટી ના વારસદાર છે. તથા શ્રી આશાપુરા માતાજી ની ઐતિહાસિક પત્રીપુજન ના અસલી અધિકારી છે. આ વર્ષ માં આશાપુરા ના આશિર્વાદ થી તેઓ શ્રી ના હસ્તે આશો સુદ આઠમ ના દિવસે આશાપુરા માતા ના મઢ ખાતે “પત્રીપુજન” વિધી કરવામાં આવશે. જે આ ઐતિહાસિક પત્રીપુજન ની પરંપરા ને ખરેખર સાચો ન્યાય મળીયુ એમ જણાઈ રહ્યું છે.

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started