અંજાર : અંજાર પોલીસ સ્ટેશન તરફથી નમ્ર અપીલ અંજાર શહેર જનો માટે ખાસ સૂચના મુજબ સાર સંભાળ રાખવા અને પોલીસ ને શાથ સહકાર આપવા નમ્ર અપીલ અંજાર પોલીસ સ્ટેશનના ટેલીફોન નં .૦૨૮૩૬૨૪૨૫૧૭ ઉપર જાણ કરવા વિંનતી.
આથી અંજારની જાહેર જનતાને અંજાર પોલીસ સ્ટેશન તરફથી નમ્ર અપીલ છે કે આપ પ્રજાજનો જ્યારે નવરાત્રીમા રાસ ગરબા રમવા માટે ગરબીમા જાઓ ત્યારે પોતાના મકાનને વ્યવસ્થિત તાળું મારી ઘરની અંદરની લાઇટ ચાલુ રાખીને જાઓ અને ગરબી વાળી જગ્યાએ તમારૂ ટુ – વ્હીલર વાહન બરોબર લોક કરી બંને ત્યા સુધી સી.સી.ટી.વી.કેમેરા લાગેલા હોય તેવી જગ્યાએ પાર્ક કરવાનુ અને સમયાંતરે પોતાનુ વાહન સલામત છે કે તેવી ખરાઇ કરી લેવાનુ અને કોઇ પણ જાતનુ ગુનાહીત ક્રુત્ય તમારા ધ્યાને જણાઇ આવે તો તાત્કાલીક અંજાર પોલીસ સ્ટેશનના ટેલીફોન નં .૦૨૮૩૬૨૪૨૫૧૭ ઉપર જાણ કરવા વિંનતી સહકાર આપવા નમ્ર અપીલ છે .