અંજાર : તાલુકા ના ખેડોઈ અને મીંદીયાળા ગામ ના સીમ માં આવેલ ફોરેસ્ટ ખાતા ની અંદર આવેલ શ્રી મોમાઈ માતાજી મંદિર ના આસપાસ ગૌમાતા ના કંકાલ નજર આવતા સ્થાની યુવા ઓ મા ભારે રોષ જોવા મળ્યો હતું તંત્ર વહેલી તકે ધ્યાન દોરી ને નરાધમો ગૌ માતા ની હત્યારો પર જલદ કાર્યવાહી કરવામાં આવે તેવી અસ્થાનિય યુવા ની માંગ છે.
અંજાર તાલુકા ના ખેડોઈ અને મીંદીયાળા ગામ ના આવેલ ફોરેસ્ટ ખાતા ની અંદર આવેલ શ્રી મોમાઈ માતાજી નું મંદિર ના પરિસર મા નરાધમો દ્વારા ગૌ માતા ની હત્યા કરવા નું પાપી કૃત્ય કરવામાં આવેલું છે. આ સંદર્ભે જાગૃત યુવાન એવા જયપાલસિંહ જાડેજા દ્વારા જયારે શ્રી મોમાઈ માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલ તયારે આ સ્થિતિ જોતા એમને મીંદીયાળા અને ખેડોઈ ના ગૌ પ્રેમી ને જાણ કરતા આજ રોજ તા 16.10.2022 ના રોજ બંને ગામના મોટી સંખ્યા મા ગૌ પ્રેમી ભેગા થયેલા અને પોલીસ તંત્રને અને ફોરેસ્ટ તંત્રને જાણ કરીને આ નરાધમો ઉપર કડક કાર્યવાહી કરવા ની ઉગ્ર માગ કરેલી છે.