અંજાર : શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ મધ્ય તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અંજાર :
અંજાર નગરપાલિકા દ્વારા સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ મધ્ય તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અંજાર વિધાનસભા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બીજલભાઇ છાંગા એ પ્રાસંગિક વક્તવ્ય આપતા સરદાર શ્રી વલ્લભભાઈ પટેલના જીવન વિશે પરિચય આપી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે તેમણે કરેલા કાર્યોને બિરદાવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સૌએ તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાના શાસકપક્ષના નેતા શ્રી સુરેશભાઈ એ. ટાંકે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા કચેરીઅધિક્ષક શ્રી ખીમજી પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ સંભાળી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બી. છાંગા, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન ડી. પ્રજાપતિ, ઉપપ્રમુખ શ્રી બહાદુરસિંહજી ડી.જાડેજા, કારોબારી સમિતિ ચેરમેન વિજયભાઈ ડી. પલણ, શાસકપક્ષના નેતા શ્રી સુરેશભાઈ ટાંક, કાઉન્સિલરો સર્વશ્રી કેશુભાઈ સોરઠીયા, નિલેશભાઈ ગોસ્વામી ,વૈભવભાઈ કોડરાણી, કલ્પનાબેન ગોર, સંજયભાઈ દાવડા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવા, કચેરી અધિક્ષક શ્રી ખીમજી પાલુભાઈ સિંધવ,અંજાર તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કાનજીભાઈ જીવાભાઇ આહીર, અંજાર શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ અશ્વિનભાઈ પંડ્યા, મોહનભાઈ મઢવી, મહેન્દ્રભાઈ કોટક, મજીદભાઈ રાયમા, પુનિતભાઈ ઠક્કર, ડાયાલાલભાઈ રાઠોડ, હાર્દિકભાઈ પ્રજાપતિ, નરસિંહભાઈ પ્રજાપતિ, હર્ષાબેન ત્રિવેદી ,ક્રિષ્નાબેન જોશી, જયશ્રીબેન ઠક્કર, નજમાબેન બાયડ, પૂજાબેન બારમેડા, વિવેકાનંદ વિદ્યાલય ના આચાર્ય ડો. ખીમજીભાઇ એસ.સિંધવ, શ્રી મનોજભાઈ લોઢા, ગુંજનભાઈ પંડ્યા, તેજપાલભાઈ લોચાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started