






” ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા ” કાર્યક્રમ અંતર્ગત ગંગા નાકા પાંજરાપોળથી એક વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી.જે શહેરની મુખ્ય બજાર ગંગા બજાર, ૧૨ મીટર રોડ, ઠક્કરબાપા સર્કલ થઈ શ્રીમતી કે. કે. એમ. એસ. ગર્લ્સ હાઈસ્કુલ પહોંચી હતી. ત્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા અને નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણીએ આ તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
યાત્રા રૂટમાં આવતા બંધારણના ઘડવૈયા ડો શ્રી ભીમરાવ આંબેડકર જી, શ્રી ઠક્કરબાપા, સ્વામી શ્રી વિવેકાનંદ જી, શ્રી મેઘજી શેઠ અને પંડિત શ્રી દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમા પર હારારોપણ કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાના સમાપન સ્થળે એક સમારોહ યોજવામાં આવ્યો હતો.
શરૂઆતમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો. ત્યાર પછી ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાસાહેબનું શાલ ઓઢાડી નગરપાલિકાના પ્રમુખશ્રી વૈભવભાઈ કોડરાણીએ સ્વાગત કર્યું હતું. કચ્છ જીલ્લા ભાજપના મંત્રી વસંતભાઈ કોડરાણીએ અને ડેપ્યુટી કલેક્ટર સુરેશભાઈ ચૌધરી સાહેબ એ પ્રસંગને અનુરૂપ ઉદબોધન આપી તિરંગા યાત્રાનું મહત્વ સમજાવ્યું હતું.
ધારાસભ્ય શ્રી ત્રીકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ભાવનાને વધુ ને વધુ પ્રજ્વલિત કરવાના ભાગરૂપે “હર ઘર તિરંગા” ના સૂત્ર સાથે સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે તિરંગા યાત્રાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો યશસ્વી ફાળો છે.
અગાઉ માત્ર શાળાઓ પૂરતો ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાતો. સામાન્ય લોકો તેનો હેતુ અને મહત્વ જાણતા ન હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ “તિરંગા યાત્રા” નું આયોજન કરી સમગ્ર દેશમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ અને પ્રતિ વર્ષ તેમાં વધારો થતો રહ્યો છે. જે દેશમાં રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના ન હોય તે દેશની સ્વતંત્રતા હણાઈ જવાની શક્યતા રહે છે. ત્યારે આ તિરંગા યાત્રામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ કચેરીઓના અધિકારીઓ તથા કર્મચારીઓ, પોલીસ ખાતાના જવાનો, શાળા મહાશાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, શહેરીજનો આ તમામ જોડાયા અને રાષ્ટ્રપ્રેમનું સપ્તરંગી મેઘધનુષ્ય રચાયું હતું. યાત્રા જ્યાં થી પસાર થઈ રહી હતી ત્યાં રૂટમાં આવતી દુકાનોના વેપારીઓ પણ આ યાત્રાને માન આપતા ઉભા થઈ અને પોતાની પેઢીની બહાર આવી માન આપતા હતા. આ યાત્રાની સફળતા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપનાર સૌ કોઈ ધન્યવાદને પાત્ર છે.
કાર્યક્રમનું સંચાલન અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી નીલેશગીરી ગોસ્વામી એ અને આભારવિધિ કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠીયાએ કરી હતી.
જેમાં શહેરની વિવિધ જ્ઞાતિ સંસ્થા, સામાજિક સંગઠનો તેમજ સેવાભાવી સંસ્થાઓ અને કોલેજ, હાઈસ્કુલ, પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થી-વિદ્યાર્થીની ઓ, સરકારી તેમજ અર્ધસરકારી કચેરીના અધિકારીઓ- કર્મચારીઓ, પોલીસ ખાતાના અધિકારીઓ-કર્મચારીઓ, એનસીસીના કેડેટ, પત્રકાર મિત્રો વગેરે આ તિરંગાયાત્રામાં જોડાયા હતા.
આ તિરંગાયાત્રામાં ધર્મગુરૂ શ્રી ખીમજીડાડા માતંગ, ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરીયા, અંજાર શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ, ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુધભટ્ટી, દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, પી..આઈ. શ્રી ડાંગર સાહેબ અને અને પી. આઈ. પૂજામેડમ, ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ, ડો. રાજીવભાઈ અંજારિયા, આઈ. સી. ડી. એસ. ના ચેતનાબેન ઠક્કર, મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠીયા અને શ્રી ક્રિપાલસિંહ રાણા, પૂર્વ પ્રમુખ શ્રી ડેનીભાઈ શાહ, કાઉન્સિલરો સર્વશ્રી અમરીશભાઈ કંદોઈ, બહાદુરસિંહ જાડેજા, વિનોદભાઈ ચોટારા, વિજયભાઈ પલણ, મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, સુરેશભાઈ ઓઝા, શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ, શ્રીમતી ગાયત્રીબા ઝાલા, શ્રીમતી કંચનબેન સોરઠીયા, શ્રીમતી કુંદનબેન જેઠવા, શ્રીમતી ઇલાબેન ચાવડા, શ્રીમતી હર્ષાબેન ગોહિલ, શ્રીમતી પ્રીતિબેન માણેક, શ્રી પ્રકાશભાઈ લોદરીયા, શ્રી બલરામભાઇ જેઠવા, તેજસભાઈ મહેતા, દિનેશભાઈ સી. ઠક્કર, અશ્વિનભાઈ પંડ્યા, અલ્પેશભાઈ દરજી, કિશોરસિંહ જાડેજા, દિપકભાઈ કોડરાણી, હસમુખભાઈ કોડરાણી, સ્વામી વિવેકાનંદ વિધાલયના આચાર્ય શ્રી જયદેવસિંહ જાડેજા, સુનિલભાઈ મહેશ્વરી, ભરતભાઈ બુધભટ્ટી, પુનિતભાઈ ઠક્કર , હનીફભાઇ કુંભાર, મજીદભાઈ રાયમા, ભૌતિકભાઈ ખંડોર, હિતેનભાઈ હડિયા, કપિલભાઈ સોરઠીયા, સન્ની કોડરાણી, શૈલ માણેક, મંગલભાઈ ધુઆ, હર્ષાબેન ત્રિવેદી, મંજુલાબેન ચૌહાણ, વૈશાલીબેન સોરઠીયા, સોનલબેન મહેતા, પૂજાબેન બારમેડા, નજમાબેન બાયડ, ધનુબેન ગઢવી સહિતના લોકો જોડાયા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરીયા અને કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના શ્રી નરશીભાઈ દાવા, સાવનભાઈ બી. પંડ્યા, ભારતીબેન બારોટ, મયુરભાઈ હેરમાં, રશ્મિનભાઈ ભીંડે, પ્રકાશભાઈ રોશિયા, જીતેન્દ્રભાઈ જોશી, ધવલ થરાદરા, ગુંજનભાઈ પંડ્યા, ચિરાગભાઈ ઠક્કર, જીગ્નેશગીરી ગોસ્વામી ,અનિલભાઈ ત્રિપાઠી, વિનોદભાઈ શામળીયા, કિશનભાઇ પ્રજાપતિ, વિપુલભાઈ ઓઝા, સંજયભાઈ પ્રજાપતિ, વિજયભાઈ વરસાણી, નિરૂપાબેન પ્રજાપતિ, મીરલબેન વેગડ વગેરે જહેમત ઉઠાવી હતી.